ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા બદલ સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે. ડૉ. મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગે શ્રી ત્રિવેદીએ કહ્યું, મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ડૉ. મનમોહન સિંઘની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા વચનબદ્ધ: ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી
