ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 3:49 પી એમ(PM) | મહાકુંભ

printer

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આગામી 27મી જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે રાણીપ એસ.ટી. ડેપો, અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જશે.
માત્ર આઠ હજાર 100 રૂપિયામાં પ્રતિ વ્યકિત ત્રણ રાત્રી ચાર દિવસનું પેકેજ રાજ્યનાં શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ અને પ્રવાસન વિભાગનાં સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં ત્રણ રાત્રી માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાત્રીરોકાણ પ્રયાગરાજમાં ગુજરાત પેવેલીયનની ડોરમેટરીમાં કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું બુકિંગ આવતીકાલથી એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in મારફતે કરી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ