વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.
રાજ્યભરમાં થનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના “તુર નૃત્ય”ની પ્રસ્તુતિ કરવામાં આવશે.
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આવતીકાલે ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાની શાળામાં “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે સ્થાનિક રજા જાહેર કરી છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:15 પી એમ(PM) | વિશ્વ આદિવાસી દિવસ
વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે
