વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. ડૉ. જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આ બેઠકમાં આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, વેપાર, રોકાણ, અર્થતંત્ર અનેઊર્જા ક્ષેત્રે ભારતના ગાઢ સહયોગ અંગે ચર્ચા કરાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે બેઠકમાં ક્ષમતા નિર્માણ, કૌશલ્ય વિકાસ અને લોકો વચ્ચેનાસંબંધો સુધારવાની તકો સાથે સમગ્ર પ્રદેશમાં ભૌતિક, દરિયાઇઅને ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:24 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી
