નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા પાંચ દિવસના ભારત પ્રવાસે, છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ડૉ. દેઉબાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે.
વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઉભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ કરવામાં મદદ મળશે..
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM) | aakshvani | aakshvaninews
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અરજૂ રાણા દેઉબા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે
