વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો.
આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે 2025 માટે G20 ઉદ્દેશ્યો પર પોતાના સંબોધનમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું.તેમણે કહ્યું કે પોતાનું નેતૃત્વ જાળવી રાખવા માટે, G20 એ વૈશ્વિક પડકારોનું સંપૂર્ણ રીતે સચોટ પ્રતિબિંબ પાડવું જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે G20 એ હંમેશા સ્પર્ધાની મજબૂરીઓ કરતાં સહયોગની આવશ્યકતાઓને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. આંતરરાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ પર, ડૉ. જયશંકરે કહ્યું કે ભારત તૈયારી, કટોકટી પ્રતિભાવ, પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ માટે મજબૂત માળખાને સમર્થન આપે છે.
ભારતે 2019 માં આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન (CDRI) ની શરૂઆત કરી. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે આજે, CDRI ના 42 રાષ્ટ્રો અને 7 સંગઠનો તેના સભ્યો છે.તેમણે ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણની પહેલ આબોહવા કાર્યવાહી પર વૈશ્વિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 7:34 પી એમ(PM) | વિદેશ મંત્રી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો
