ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 9:07 એ એમ (AM)

printer

વકફ સુધારા 2025 અધિનિયમ અન્વયે થયેલી હિંસાની ઘટનાઓ બાદ કલકત્તા વડી અદાલતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો

વક્ફ (સુધારા) અધિનિયમ 2025 ના પગલે થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બાદ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યના અનેક ભાગોમાં અશાંતિનો આરોપ લગાવતી અરજીની સુનાવણી બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયાધીશ સૌમેન સેન અને રાજા બાસુ ચૌધરીની ખાસ બેન્ચે આ કેસની સુનાવણી કરી અને કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો.
કોર્ટે એમ પણ કહ્યું કે આ નિર્દેશ ફક્ત મુર્શિદાબાદ જિલ્લા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. અન્ય જિલ્લાઓમાં જ્યાં પણ આવી જ પરિસ્થિતિઓ ઊભી થાય છે, ત્યાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરી શકાય છે. બેન્ચે વધુમાં નિર્દેશ આપ્યો કે કેન્દ્રીય દળોએ રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કાર્ય કરવું જોઈએ.
મુર્શિદાબાદમાં થયેલી અથડામણમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, અને હિંસાના સંબંધમાં ૧૩૮ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ