ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 3:13 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ મુર્મૂએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આવનારી પેઢીઓ માટે આપણે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવાબદારી છે. આ માટે આપણે પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી પડશે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું.
સુશ્રી મુર્મૂએ કહ્યું, આપણે સૌએ વર્ષ 2047 સુધી ભારતને એક એવો વિકસિત દેશ બનાવવાનો છે, જ્યાં હવા, પાણી, હરિયાળી અને આનંદ સમગ્ર વિશ્વ સમુદાયને આકર્ષિત કરે.
બે દિવસના આ સંમેલનનો ઉદ્દેશ પર્યાવરણ નિષ્ણાતો, નીતિનિર્માતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓને એક મંચ પર લાવીને મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો તેમજ કાર્યવાહીનું યોગ્ય નિરાકરણ શોધવાનું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ