આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજબૂત કરે છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM) | aakshvani | newsupdate
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી
