રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા એકતાનગરના હેલિપેડ ખાતેથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. ત્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઑફ યુનિટી ખાતે સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલરી, પદપૂજા, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ નીહાળશે. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં પણ સહભાગી થશે.
સુશ્રી મુર્મૂ આવતીકાલે એકતાનગરમાં આવેલા આરોગ્યવન, મિયાવાકી ફૉરેસ્ટ, જંગલ સફારી, સરદાર સરોવર બંધ અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત સુશ્રી મુર્મૂ આવતીકાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા- N.I.D.ના 44મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-NFSUના ત્રીજા પદવીદાન સમારોહમાં ભાગ લેશે. એ જ દિવસે તેઓ ભુજના સ્મૃતિવન ભુકંપ સ્મારકની પણ મુલાકાત લેશે.
રાજ્યના પ્રવાસનાં અંતિમ દિવસે પહેલી માર્ચે રાષ્ટ્રપતિ મુર્મૂ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે.
