ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM) | ખેડૂતો

printer

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઈચ્છુક ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રીએ ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે. તેમણે તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ