રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે.
જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ લગાવ્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી , વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. તેમજ પાંચ વર્ષ સુધી નિભાવ ખર્ચ પણ નથી. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણમુક્ત પણ છે .
આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળી નિયમિત મળે અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:52 એ એમ (AM) | સોલાર પંપ
રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી
