રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિવાળી પછી શરૂ થતી રવિ મોસમમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જ્યારે કેટલાક ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. જોકે, રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે તેમ માર્ગદર્શિકામાં જણાવાયું છે.માર્ગદર્શિકા અનુસાર, ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ. તેમજ ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. ખેડૂતો ભારત સરકારની મેઘદૂત મૉબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કૃષિ હવામાન માર્ગદર્શિકા સેવાઓ અને આગાહી જાણી શકશે.
Site Admin | નવેમ્બર 7, 2024 7:43 પી એમ(PM)
રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે
