ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM) | રાજ્યસભા

printer

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ઉપાધ્યક્ષે તેને અયોગ્ય, ગંભીર રીતે ખામીયુક્ત અને અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવા માટે ઉતાવળમાં રજૂ કરેલ ઠરાવ તરીકે વર્ણવ્યું હતું.
તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો છે. આ મહિનાની 10મી તારીખે, ઓછામાં ઓછા 60 વિપક્ષી સભ્યોએ શ્રી ધનખડને તેમના પદ પરથી હટાવવાની નોટિસ પર સહી કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ