રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું. અને 75 કરોડ 39 લાખ રૂપિયાના ચુકાદા અપાયા હતા. રાજ્યની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 2 હજાર 761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો. આ ઉપરાંત કંસીલીએશનની વ્યવસ્થાના કારણે 10 વર્ષ જૂના 823 કેસોનો નિવેડો આવ્યો હતો.
બીજી તરફ , અમદાવાદ સિટી કોર્ટ ખાતે લોક અદાલત યોજાઇ. જેમાં મોટર અકસ્માત, દિવાની દાવાઓ, ચેક પરતને લગતી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધોગિક તકરારોના 7 લાખ કેસોનો સુખદ નિરાકરણ આવ્યું અને આશરે રૂપિયા 2 હજાર 743 કરોડ વળતરના ચુકાદા અપાયા.
વલસાડ જિલ્લાના પારડીમાં યોજાયેલી લોકઅદાલતમાં 500 કેસો પૈકી 300 કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં બેંકને લગતા કેસોમાંથી 33 લાખ 90 હજાર રૂપિયાની રિકવરી કરવામાં સફળતા મળી હતી.
Site Admin | માર્ચ 9, 2025 7:21 પી એમ(PM) | લોક અદાલત
રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું.
