રાજ્યમાં દિવાળીના તહેવારના ચાર દિવસમાં 108 ઈમરજન્સીમાં 20 હજાર 164 કેસ નોંધાયાના અહેવાલ છે. 108 ઇમરજન્સી સેવાના મુખ્ય કાર્યકારી અધિકારી જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાઈબીજ સુધીના ચાર દિવસમાં 20 હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દરરોજના 4 હજાર 500 કેસ નોંધાતા હોય છે, જયારે દિવાળીમાં સરેરાશ 5 હજાર 500 જેટલા કેસ નોંધાયા છે.
Site Admin | નવેમ્બર 5, 2024 10:03 એ એમ (AM) | દિવાળી