રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ સંયુક્ત પ્રવેશ પરીક્ષા – JEE તથા રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા – NEETમાં ઉત્તીર્ણ થયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો છે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક કુલ ૪૪ શાળા કાર્યરત છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩માં ૮૨૫ અને વર્ષ ૨૦૨૪માં NEETમાં ૩૬૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ ૧૦૫ શાળાનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.