ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 3:06 પી એમ(PM)

printer

રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું

અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આજે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી છે. તેઓએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ તેમનામાં રહેલા ગુણદોષને પારખી મનની નબળાઇઓ ઉપર જીત મેળવે તે જ સાચી વિજ્યાદશમી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજ્યદશમીની શુભેચ્છાઓ પાઠવતા સૌ નાગરિકોને જણાવ્યું કે, આ પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું ઉમંગ પર્વ છે. ઉપરાંત મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વ સમાજમાં સદભાવના -સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ, સૌના વિકાસની નેમ પાર પાડનારું બને તેવી આશા વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ