રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ખર્ચ માટે ૨૦૮ કરોડ રૂપિયા સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવણીનો નિર્ણય કરાયો છે. જેમાં નવરચિત આણંદ મહાનગરપાલિકાને ૪૫ કરોડ, મોરબી ૮૦ કરોડ નડિયાદને ૨૧.૯૦ કરોડ, વાપીને રૂ.૨૧.૫૦ કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને ૨૦-૨૦ કરોડ રૂપિયા મળશે.
જેમાં વિવિધ પ્રજાલક્ષી સુખાકારી વધારવા માટે આ રકમનો ઉપયોગ કરાશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:06 એ એમ (AM)
રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ખર્ચ માટે ૨૦૮ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય
