રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યના 754 કેન્દ્રો પર 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ વખતે પ્રથમ વખત પરીક્ષાની સલામતી માટે પહેલીવાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર 10 પરીક્ષા કેન્દ્રો તાલુકા મથકે રખાયા છે . દિવ્યાંગ ઉમેદવારો માટે તેમના જિલ્લામાં જ પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. ગેરરીતિને રોકવા ઉત્તરવહીમાં સહીની સાથે અંગૂઠાનું નિશાન લેવામાં આવશે. એસટી વિભાગને પરિક્ષાના દીવસે વધુ બસો ફાળવવાની સૂચના આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:15 પી એમ(PM)
રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે
