રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે.
ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને અસ્થાયી રીતે આ વિસ્તારમાંથી બહાર જતા રહેવા સલાહ આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:53 પી એમ(PM) | રશિયા
રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી
