કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બપોરે તેઓ પી.એમ.એસ.એસ.વાય. સર. ટી. હોસ્પિટલની મુલાકાત લઇ ગ્રેઈન એ.ટી.એમ.ની મુલાકાત લેશે.