ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે.
આ માટે રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “ભારતીય સંસ્કૃતિનુ જતન એ ગુજરાતના સ્વભાવમાં વણાયેલું છે. આજના સમયમાં આપણી વિરાસતને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની તાતી જરૂર છે. આ દિશામાં ઉમદા કામગીરી કરી રહેલા લોકોને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે.”

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ