મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
આ ઉદવહન સિંચાઈ યોજના થકી ખેડાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહીસાગરમાં બાલાસિનોર તાલુકાના મળીને 125 ગામને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ તમામ ગામના 133 તળાવ તથા એક નદીમાં મહી નદીનું પાણી પહોંચાડીને 8 હજાર 100 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે.