માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સમાચારને ડામવા માટે સરકાર પાસે વૈધાનિક અનેસંસ્થાકીય પદ્ધતિઓ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનેલગતા બનાવટી સમાચારોનો સામનો કરવા માટે નવેમ્બર 2019માં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાપ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ ફેક્ટ ચેક યુનિટ ની સ્થાપના કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM) | અશ્વિની વૈષ્ણવ | માહિતી અને પ્રસારણ મંત્રી
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે
