ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 3:27 પી એમ(PM) | “માનવ કલ્યાણ યોજના”

printer

“માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું

છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું છે. કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા કારીગરોને આ યોજના અંતર્ગત ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૫ હજાર ૧૫૮ લાભાર્થીઓ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૫ હજાર ૧૨૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૬ હજાર મળીને કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ લાભાર્થીઓને ટૂલકીટ સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ