ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસ સમારોહને તેઓ સંબોધન કરી રહ્યા હતા.
શ્રી ધનખડે કહ્યું કે, દેશે પહેલીવાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત માટે બંધારણીય જોગવાઈ આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ દરેક ભ્રાંત વિચારોને પાછળ છોડીને સંરક્ષણ દળોમાં લડાયક પદો પર પોતાની આગવી ઓળખ પણ બનાવી રહી છે.
તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગને મહિલાઓ સાથે થતાં સૂક્ષ્મ ભેદભાવ અને કાર્યસ્થળ તથા રાજકારણમાં થતા ભેદભાવ પર વિચારમંથન કરવા અનુરોધ કર્યો.
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:47 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ
માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી :ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
