મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકોને ઇજા થઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે, આ મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, સિમલનાળા ઝેર અને વાવકુવા ગામે કૂતરું કરડવાના એક જ દિવસમાં 6 થી વધુ કેસ નોંધાયા છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 3:21 પી એમ(PM) | મહીસાગર
મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે
