મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. બંને પાયલટ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારતીય વાયુસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM) | મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું
