રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
બંને નેતાઓ સંમત થયા કે ભારત-કતાર સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો વધુ મજબૂત બનશે. રાષ્ટ્રપતિ મુર્મુએ કતારના અમીરના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | topnews | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
