બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે. પ્રમુખે નગરપાલિકા અગ્નિશમન દળ પાસે હાલમાં અગ્નિશમન માટે પાંચ વાહનો છે, પરંતુ મરામતના કારણે તેમાંથી ચાર વાહન બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું: ‘નગરપાલિકા પાસે 2 હજાર 500 લિટર પાણીવાળા 2 અને 12 હજાર લિટર પાણીવાળા 3 વાહન હતા. આમાંથી અત્યારે માત્ર એક જ વાહન કાર્યરત્ છે.
જ્યારે નગરપાલિકાના મુખ્ય અધિક્ષક અને અગ્નિશમનના અધિકારીએ નવા વાહન અંગે સરકારને રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે