દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદે કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે. મહાકુંભ ખાતે કુંભવાણી કેન્દ્રને સંબોધતા તેમણે કહ્યું કે કુંભવાણી આ દૈવી ઘટનાનો સંદેશ બધા લોકો સુધી પહોંચાડવાનું એક અદ્ભુત માધ્યમ છે. તેમણે એમ પણ કહ્યું કે ભક્તો આધ્યાત્મિક શાંતિ અને નવી ઉર્જા સાથે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 6:31 પી એમ(PM) | દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદ
પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે : દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદ
