પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની ૧૨૦મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGov Open Forum. ફોરમ દ્વારા પોતાના અભિપ્રાય રજૂ કરી શકે છે. આગામી કડી માટે સૂચનો 28 માર્ચ સુધી મોકલી શકાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને NewsOnAir મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે.
Site Admin | માર્ચ 15, 2025 1:24 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી ૩૦ માર્ચે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે.
