પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એપ પર આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, PMO, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
Site Admin | માર્ચ 29, 2025 7:18 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે
