ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 9:39 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિને દર્શાવે છે.
લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટૉલ-ફ્રી નંબર 1800-11-7800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય-G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી ઑનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકાશે. આ સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ