પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિને દર્શાવે છે.લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટૉલ-ફ્રી નંબર 1800-11-7800 ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય-G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી ઑનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકાશે. સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે.
Site Admin | માર્ચ 26, 2025 6:48 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા
