પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે.
તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આ મહિનાની 23મી તારીખે રેડિયો ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના સૂચનો મોકલવા માટે દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 2:18 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે
