પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચૌપાલ એક સમર્પિત રામ ભક્ત હતા, જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે, દલિત પૃષ્ઠભૂમિમાંથી આવતા, શ્રી ચૌપાલને સમાજના વંચિત સમુદાયોના કલ્યાણ માટેના તેમના કાર્ય માટે હંમેશા યાદ રાખવામાં આવશે. શ્રી મોદીએ આ દુઃખના સમયમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
