પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે, મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે, આ ફ્લાવર શૉ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી
