પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચૂઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે.
આ યોજનામાં ડૉ. બાબા સાહેબ આંમ્બેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉન્નયન અને શિરડી વિમાન મથકના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું નિર્માણ પણ સામેલ છે.
મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગઢચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને થાણે જિલ્લાના અંબરનાથમાં સરકારી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.
શ્રી મોદી ઉદ્યોગ ક્ષેત્ર માટે કાર્યબળ તૈયાર કરવાના હેતુથી ભારતીય કૌશલ સંસ્થાન – IIS, મુંબઈનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 2:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રમાં 7,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ
