રાજ્ય સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહીવટી ક્ષેત્રના 23 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.. વિધાનસભાના પોડિયમ ખાતે આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને અધિકારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી..
રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ દરમિયાન પ્રસિદ્ધ સ્થળો પર વિકાસ પ્રદર્શની સહિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાન વિશે લોકોને માહિતગાર કરવા માટે, તેમની પરિવર્તનકારી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ રિવર ફ્રન્ટ, મોઢેરા સૂર્ય મંદિર, ગિફ્ટ સિટી સહિત માન્ય 23 પ્રતિષ્ઠિત સ્થળોએ વિકાસ વોક યોજાઇ રહી છે.
રાજ્યના આર્થિક વિકાસને પ્રદર્શિત કરવા માટે, સ્ટાર્ટ અપ, નવા શોધકો અને ઉદ્યોગ સાહસિકોના યોગદાનને દર્શાવવા માટે રાજ્યમાં ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પો પણ યોજાશે.
આ સાથે જ 3 હજાર કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાશે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહીવટી ક્ષેત્રના 23 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી
