પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિયોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
રાજ્ય સહિત દેશભરના 3 લાખ 17 હજારથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92 ટકા ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં, 1 લાખ 53 હજારથી વધુ ગામડાઓ માટે લગભગ 2 કરોડ 25 લાખ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું આજે વિતરણ કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે
