પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ બીચ રોડ પર ગાંધી પ્રતિમા પાસે આયોજિત સ્મારક સભાની અધ્યક્ષતા કરી હતી. સ્મારક સેવામાં, સહભાગીઓએ સમુદ્રમાં દૂધ અને ફૂલો અર્પણ કર્યા અને 26 ડિસેમ્બર 2004ના વિનાશક સુનામીમાં જીવ ગુમાવનારાઓના ફોટોગ્રાફ્સ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ સુનામીએ તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કેરળ સહિત ઘણા રાજ્યોમાં ભારે તબાહી મચાવી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) | પુડુચેરી અને કરાઈ
પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો
