પાવાગઢની તળેટીમાં રહીને પ્રકૃતિનું શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે કેબિનેટ વન મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલે આજે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું પાવાગઢમાં લોકાર્પણ કર્યું હતું.
આ કેન્દ્રમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, મુલાકાતીઓ પ્રકૃતિ સાથે રહી શકે તે માટે ટેન્ટ ઊભા કરાયા છે.સાથે જ વન વિભાગ દ્વારા દુર્લભ પ્રજાતિના વૃક્ષોનો ઉછેર કરવામાં આવનાર છે.વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટેનો તમામ પ્રયાસ અહીંયાં કરવામાં આવ્યા છે.ઉપરાંત વન્યજીવો અને વૃક્ષોનો ઉછેર થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે.(બાઈટ – મુળુભાઈ બેરા, વન મંત્રી) યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનની સાથે સાથે પ્રકૃતિપ્રેમીઓ પ્રકૃતિની સાધના કરવા માટે પણ આવતા હોય છે ત્યારે આ કેન્દ્ર ઉપયોગી નિવળશે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 7:31 પી એમ(PM) | પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર