પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે. અમદાવાદ-પાલનપુર વિભાગના ઝૂલાસણ-કલોલ મથક વચ્ચે આવેલા બ્રિજ પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ ટ્રેન કલોલ-ગાંધીનગર કેપિટેલ-ખોડિયારની જગ્યાએ પરિવર્તિત માર્ગ પર દોડશે અને ગાંધીનગર કેપિટલ મથક નહીં જાય.
આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનને કલોલ મથક પર 2 મિનિટનું વધારાનું સ્ટૉપેજ પણ અપાયું હોવાનું પશ્ચિમ રેલવે વિભાગે યાદીમાં જણાવાયું છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 4:18 પી એમ(PM) | પશ્ચિમ રેલવે વિભાગ
પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે
