ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 8:52 એ એમ (AM)

printer

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે. પશ્ચિમ રેલ્વેનાં 124 રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ કરવાની કામગીરીનાં ભાગ રૂપે વડોદરા મંડળનાં ડાકોર, પ્રતાપનગર અને ગોધરા સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ડાકોર સ્ટેશનને અંદાજે 6 કરોડ રૂપિયાનાં ખર્ચે અને પ્રતાપનગર સ્ટેશનને લગભગ 43 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિક્સિત કરવામાં આવી રહ્યા છે.
અમૃત સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ ગોધરા સ્ટેશન પર ટિકિટિંગ સુવિધા સાથેનો બીજો પ્રવેશ દ્વાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો અંદાજિત ખર્ચ 6 કરોડ 18 લાખ રૂપિયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ