પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
શહેરાના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં અમદાવાદ, વડોદરા અને પંચમહાલ જિલ્લાના કુલ ૦૬ જેટલી કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૧૫૦ જેટલા પુરુષ અને મહિલા ઉમેદવારો હાજર રહ્યા હતા, જે પૈકી ૯૭ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.