ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આજે નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો. શ્રી રિજિજૂએ કહ્યું, સરકાર મુસ્લિમ, ઈસાઈ, સિખ,બૌદ્ધ, જૈન અને પારસી એમ છ સૂચિત સમુદાયના વિકાસ માટે અનેક વ્યક્તિગત યોજનાઓ ચલાવીરહી છે. શ્રી રિજિજૂએ રાજ્ય લઘુમતી પંચના તમામ હિતધારકોને લઘુમતી સમુદાયના વિકાસમાટે મહત્વની યોજનાઓના અમલીકરણ માટે શક્ય તમામ નાણાકીય સહાય પૂરી પાડવાનું આશ્વાસનપ ણ આપ્યું.
Site Admin | માર્ચ 25, 2025 7:24 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું: ‘વર્ષ 2047સુધીમાં ભારતને આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે
