ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 7:09 પી એમ(PM)

printer

​નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું

​નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટથી દેશ-વિદેશના અનેક રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરવાનું પસંદ કરતા ગુજરાત સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. સોલાર રૂફટોપમાં સમગ્ર ભારતની ૮૨ ટકા સોલાર રૂફટોપ ગુજરાતમાં લાગેલી છે.

આ સબસ્ટેશન ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે. તેના લોકાર્પણથી આજુબાજુના ૧૫ કિલોમીટર વિસ્તારમાં આવેલા કુલ ૧૭ ગામોના અંદાજે ૨૨ હજાર જેટલા લોકોને વિક્ષેપ-રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ