ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)

printer

નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પામેલી મિલકતોની કિંમત ઘટના માટે જવાબદાર તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. – મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પામેલી મિલકતોની કિંમત ઘટના માટે જવાબદાર તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. જો ચુકવણી નહીં થાય તો તેમની મિલકતો જપ્ત કરીને વેચી દેવામાં આવશે.
નાગપુર હિંસા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં શ્રી ફડણવીસે આ વાત કહી. શ્રી ફડણવીસે એમ પણ કહ્યું કે સરકાર નાગપુરના કેટલાક ભાગોમાં હાલમાં ચાલી રહેલા કર્ફ્યુ પ્રતિબંધોને હળવા કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 104 લોકોની ઓળખ થઈ છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે. આરોપીઓની વધુ ઓળખ હજુ ચાલુ છે.
દરમિયાન ગુડી પડવાના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગપુરની પ્રસ્તાવિત મુલાકાતની પૃષ્ઠભૂમિમાં, શ્રી ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે પ્રધાનમંત્રીની મુલાકાતમાં કોઈ અવરોધ રહેશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ